વાર્તા

પંચતંત્રના સમયથી વાર્તાઓ ભારતીય સંસ્કૃતિનુ અભિન્ન અંગ છે. વાતાઓ કરવી આ દેશમાં એક મહાન્તા ગળવામા આવે છે તેટલુજ નહી પણ વાતાકારોને સન્માનવામાં પણ આવે છે. ભારતમાંજ નહિ પણ દુનિયાભરમાં વાર્તાઓ આદિકાળથી મનુષ્યના મનોંરંજન અને ચેતના બંનેને સ્પર્શ કરતી આવી છે.

જુના સમયથીજ વાર્તાઓ મોટાભાગે લોકકથાઓની આજુબાજુ વણાયેલી જોવા મળે છે. પહેલાના સમયમાં વાર્તાઓમાં અલંકારયુક્ત ભાષાના પ્રયોગ કરતા પત્રોના ચરિત્રવણઁન પર વધારે ધ્યાન અપવામાં અવતુ હતું. વાર્તા કરવાની સવથી જુની કળા મૌખિક વાર્તા હતી, જેમાં અભિવ્યકિત, મોઢાનો ભાવ, મુખમુદ્રા, ઉચ્ચારણની ઢબ વગેરેનો છુટથી અને કળા પુર્વક ઉપયોગ કરવામાં અવતો હતો. વાર્તાઓને વિવિધ સ્વરૂપે સાચવવાની પરમ્પરા ભારતિય સંસ્ક્રુતિનું એક અભિંન્ન અંગ છે. આમાં નકશીદાર સ્થાપત્યકળા, કલાત્મક ચિત્રો તેમજ ગુજરાતમાંતો ભરતકામનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

Posted by પાડો on Thursday, June 28, 2007 at 4:44 PM | Permalink



Post a Comment